• 2 years ago
નેપાળમાં પોખરા જતું પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં કુલ 72 લોકો સવાર હતા. યેતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. 72 લોકોમાં 5 ભારતીયો સવાર હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સુરતમાં દોરીથી યુવાનનું ગળું કપાયું છે. તો વડોદરામાં ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. પોરબંદરમાં સાઉન્ડ સિસ્ટમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. તો અન્ય તરફ ઉત્તરાયણમાં અંબાજીમાં સંતોએ શાહી સ્નાન કર્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended