મંદિરના શિખર સાથે અથડાતા ટ્રેની પ્લેન ક્રેશ, દુર્ઘટનામાં પાયલોટનું મોત
મધ્યપ્રદેશના રીવામાં એક ટ્રેઇની પ્લેન દુર્ઘટનાનો (Rewa Plane Crash) શિકાર બન્યું છે. ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામમાં મંદિરના શિખર સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને કારણે વિમાનમાં હાજર પાઇલટ અને ટ્રેઇની પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન પાયલોટનું મોત નીપજ્યું હતું.
Category
🗞
News