અમદાવાદ: મોરબી દુર્ઘટનાના મૃતકોને મેયર સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી આપી

  • 2 years ago
મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાની હોનારત બાદ રાજ્યમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી ઈમારતો પર અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે. તથા સરકારી જાહેર

સમારંભો યોજાશે નહીં. 135 લોકોનાં જીવ લેનારી મોરબી દુર્ઘટના મામલે આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે. તેમજ અમદાવાદના ટાગોર હોલમાં પ્રાર્થના સભા

યોજાઇ છે. તેમાં ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ છે. તેમજ પ્રાર્થના સભામા મુખ્યમંત્રી પણ હાજર રહ્યાં છે.