મોરબી હોનારતમાં સત્તાવાર મૃત્યુઆંક થયો જાહેર
રવિવારે સર્જાયેલી મોરબી હોનારતમાં સત્તાવાર રીતે મોતનો આંક જાહેર કરાયો છે, જે 135 હોવાનું સામે આવ્યું છે. અનેક ઈજાગ્રસ્તો મોરબી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 14મી નવેમ્બરે કરવામાં આવશે. મોરબી દુર્ઘટનામાં ઘટનાસ્થળની અને હોસ્પિટલની મુલાકાત લેશે પીએમ મોદી. આ સમયે તેઓ ઈજાગ્રસ્ત નઈમ શેખને મળશે. મોરબી દુર્ઘટનાને લઈને આવતીકાલે રાજ્યમાં શોકની જાહેરાત કરાઈ છે. આ ઘટનાને પહલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ શોક વ્યક્ત કર્યો છે.
Category
🗞
News