અંધશ્રદ્ધા: લખપતી બનવાની લાલચમાં બે મહિલાઓની બલી, મૃતદેહ ઘરમાં દાટી દેવાયા
કેરળના એર્નાકુલમ જિલ્લાની બે મહિલાઓને એક દંપતીએ લલચાવી, ‘મેલી વિદ્યા’ કરી શ્રીમંત બનવાની લાલચમાં હત્યા કરી હતી અને તેમના મૃતદેહોને ઘરમાં જ દફનાવી દીધા હતા. પોલીસે જણાવ્યું કે, લોટરી વેચતી આ બે મહિલાઓની હત્યા કર્યા બાદ મૃતદેહોને પથાનમથિટ્ટા જિલ્લાના એલાંથુર ગામમાં દફનાવવામાં આવી હતા. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
Category
🗞
News