નીતિશ પર અમિત શાહના પ્રહાર, સત્તા માટે પક્ષપલ્ટુ CM

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અમિત શાહ બિહાર અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા સિતાબ ડાયરામાં લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મસ્થળ પર આયોજિત તેમની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થયા હતા. સમારોહ દ્વારા, અમિત શાહે બિહારની નવી મહાગઠબંધન સરકાર અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે સત્તા માટે જેપીના વિચારો છોડી દીધા છે. જેપીની વાત કરીએ અને કોંગ્રેસ જેની સાથે લડ્યા તે તેમના ખોળામાં બેસી ગયા છે.

Category

🗞
News

Recommended