અમદાવાદમાં કોલેજના આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા

  • 2 years ago
અમદાવાદમાં ગુરૂ-શિષ્યના સબંધોને લાંછન લગાડતી ઘટના બની છે. જેમાં સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી સામે આવી છે. તેમાં કોલેજના આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા છે. જેમાં ABVPના નેતાઓએ જ ગુરૂનું સન્માન જાળવ્યું નથી. ઉલ્લેખનીય છે કે GLS બાદ સાલ કોલેજના ABVPના નેતાઓ વિવાદમાં આવ્યા છે. જેમાં ABVPના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. તેમાં દાદાગીરીથી આચાર્ય સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. તથા શરમજનક ઘટનામાં અક્ષતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.

Recommended