બે દિવસ પહેલાં AAPમાં જોડાયેલા ભાજપના નેતાની ઘરવાપસી

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ દરેક પક્ષો પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે ત્યારે ટિકિટ ન મળતાં નારાજ થયેલા નેતાઓના પક્ષપલટાની મોસમ પણ જામી છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની બે દિવસ પહેલા ટિકિટ ન મળવાના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે બે જ દિવસમાં ભાજપના નેતા કેસરીસિંહ સોલંકીની ઘર વાપસી થઈ છે.