અમદાવાદની ગણેશ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો શહેરના જરૂરીયાતમંદ પરિવારોના ઘરમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ

  • 2 years ago
દિવાળીનું પર્વ એટલે હર્ષોઉલ્લાસ અને પ્રકાશ ફેલાવવાનુ પર્વ. સામાન્ય રીતે આ પર્વ દરમ્યાન શહેરીજનો દિવા પ્રકટાવીને અંધકારભર્યા માર્ગ પર પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેરની ગણેશ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ પર્વ દરમ્યાન શહેરના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના ઘરમાં પ્રકાશ ફેલાવવાનો એક પ્રયાસ કર્યો જેને સૌ કોઈ આવકારી રહ્યા છે.