વિરાટ કોહલીનું નવું રેસ્ટોરન્ટ કિશોર કુમારના ઘરમાં !

  • 2 years ago
ીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં મુંબઈમાં પણ રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યા છે. આ રેસ્ટોરન્ટ માટે તેમણે જુહુમાં આવેલા પ્રખ્યાત ગાયક કિશોર કુમારના બંગલાને પાંચ વર્ષના લીઝ પર લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હાઈપ્રોફાઈલ રેસ્ટોરન્ટ આવતા મહિનાથી શરૂ થશે. મુંબઈમાં કિશોર કુમારનો બંગલો જુહુના પ્રાઇમ લોકેશન પર છે. તેમાં ફેરફાર કરીને રેસ્ટોરન્ટનો લુક આપવામાં આવી રહ્યો છે. આ રેસ્ટોરન્ટમાં લીલોતરી અને કુદરતી સૌંદર્યનું ધ્યાન રાખવામાં આવ્યું છે.