પહેલી વાર લાગ્યુ કે સૂરજ વગર પરોઢ ઊગ્યું, ભાવુક થયા અખિલેશ યાદવ

  • 2 years ago
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે સવારે પૂર્વ સીએમ અખિલેશ યાદવે પિતા વગર કેવી લાગણી અનુભવે છે તે વર્ણન કર્યુ હતુ. તેમણે લખ્યું કે આજે પહેલીવાર એવું લાગે છે કે સૂર્ય વિના પરોઢ ઊગ્યું છે. મારો સુરજ આથમી ગયો જે ક્યારેય ઉગશે નહી.