મંત્રી પર્ણેશ મોદીનું વિવાદાસ્પદ ટ્વીટ | આદિવાસીઓએ રસ્તા પર ઉતરી કર્યો વિરોધ

  • 2 years ago
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર અને શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.