ધ્વજવંદન સમયે કરંટ લાગતાં સિક્યુરિટીનું મોત, પરિવારે 50 લાખ રૂ. વળતરની માગ કરી
વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે આવેલી એલેમ્બીક કંપનીમાં ધ્વજવંદન દરમિયાન ત્રણ વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો જેમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મહેશભાઇ રમણભાઇ ઠાકોર (ઉવ50)નું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મૃતકના પરિવારે કંપની સામે 50 લાખનું વળતર માંગી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે
કંપનીના મેનેજમેન્ટે વળતર ચૂકવવા મુદ્દે વાતચીત કરવા સમય માગ્યો છેપરિવારની માંગ ના સંતોષાય તો મૃતદેહ કંપનીના ગંટ પર મુકવાની જીદ પરિવારજનો કરી રહ્યા છે
કંપનીના મેનેજમેન્ટે વળતર ચૂકવવા મુદ્દે વાતચીત કરવા સમય માગ્યો છેપરિવારની માંગ ના સંતોષાય તો મૃતદેહ કંપનીના ગંટ પર મુકવાની જીદ પરિવારજનો કરી રહ્યા છે