ઈમરાનના શેખ રશીદ અહમદે મોદીને મુસોલિની-હિટલર ગણાવ્યા

  • 5 years ago
પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશીદ અહમદે વડાપ્રધાન મોદી માટે વિવાદિત ભાષાનો ઉપયોગ કર્યો છે રશીદે શનિવારે તેમને મોદી મુસોલિની હિટલર કહ્યા છે રશીદે કહ્યું કે, જે રીતે મોદી મુસોલિની હિટલર ભારતીય મુસ્લિમો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે તે પ્રમાણે લાગે છે કે તેઓ બંને દેશોને યુદ્ધ તરફ લઈ જઈ રહ્યા છે

રશીદે વધુમાં કહ્યું કે, કાશ્મીર અને ભારતમાં મુસ્લિમો સાથે ઉભા રહેવું અમારી જવાબદારી છે મોદી સરકારના નિર્ણયોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મતભેદોમાં વધારો થશે, જે યુદ્ધ તરફ વધી શકે છે ત્રણ દિવસ પહેલાં રશીદે કહ્યું હતું કે, યુદ્ધ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે નહીં થાય પરંતુ સમગ્ર ઉપમહાદ્વીપ તેમાં સામેલ થશે

Recommended