સુરતમાં શિક્ષકોએ સ્ટુડન્ટને માર માર્યો તો વાલીઓએ સ્કૂલમાં ઘૂસી શિક્ષકોને ફટકાર્યા

  • 5 years ago
સુરતઃવરાછામાં આવેલી આશાદીપ વિદ્યાલય-1માં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મંગળવારના રોજ માર મારવામાં આવ્યો હતો આ ઘટનાનો રોષ રાખીને વાલીઓ બુધવારે શાળાએ પહોંચી ગયા હતા અને માર મારનાર સહિત અન્ય શિક્ષકોને માર માર્યો હતો આખરે શાળાના સંચાલકો દ્વારા માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દઈને સમાધાન કરી લેવામાં આવ્યું હતું પરંતુ શાળામાં ઘુસીને શિક્ષકોને માર મારવાના કેસમાં શિક્ષકો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે