શ્રીનગરમાં નમાઝ બાદ સુરક્ષાબળો પર પથ્થરમારો

  • 5 years ago
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે ઈદના દિવસે આતંકીઓએ એક ઘરમાં ધૂસીને ગોળીઓ ચલાવી હતી આ હુમલામાં એક મહિલાનું પણ મોત થયું છે, જ્યારે એક યુવકને પણ ગોળી વાગી છે જેની પરિસ્થિતી હજુ નાજુક છે બીજી તરફ શ્રીનગરમાં ઈદની નમાઝ બાદ ઘણા લોકો રસ્તા ઉતરી આવ્યા હતા તેમના હાથમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) અને જાકિર મૂસાના પોસ્ટર હતા ઉપદ્રવિયોએ સુરક્ષાબળો પર પથ્થરમારો પણ કર્યો હતો

પોલીસના કહ્યાં પ્રમાણે, આતંકી પુલવામાના જે ઘરમાં ઘૂસ્યા હતા તે ઘરમાં ઈદનો જશ્ન મનાવાઈ રહ્યો હતો ઘરમાં રહેલા લોકો કંઈ કરે તે પહેલા જ આતંકીઓ ગોળીઓ ચલાવીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા મૃતક મહિલાનું નામ નગીના હોવાનું સામે આવ્યું છે સુરક્ષાબળોએ ઘટનાને અંજામ આપવાવાળા આતંકીઓની તપાસ શરૂ કરી દીધી છે નગીનાના પતિ યુસુફ લોનની પણ બે વર્ષ પહેલા અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી