ચર્ચની બહાર વિસ્ફોટકો ભરેલી વાનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 310
- 5 years ago
શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલમાં થયેલા આઠ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 310 થઇ ગઇ છે પોલીસના મીડિયા વિભાગે જણાવ્યું કે, ઘટનામાં 500 લોકો ઘાયલ છે અધિકારીઓનું કહેવું છે કે, આ બ્લાસ્ટ કોઇ આતંરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરાવવામાં આવ્યા છે સરકારે આ માટે એક સ્થાનિક જેહાદી જૂથ - નેશનલ તૌહીદ જમાતનું નામ લીધું છે જો કે હજુ સુધી કોઇએ પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી