ચીનમાં કોરોનાનું તાંડવ: સ્મશાનમાં દરરોજ કરતાં 5 ગણા વધુ મૃતદેહ

  • last year
ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે ભારત, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં પણ સંક્રમણ ફેલાવાનું જોખમ છે. પરંતુ હાલ તો કોરોના વાયરસ ચીનમાં તાંડવ મચાવી રહ્યું છે. ચીનના શાંઘાઈની 70% વસ્તી ચેપગ્રસ્ત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ શાંઘાઈના એક સ્મશાનગૃહમાં દરરોજ 5 ગણા વધુ મૃતદેહો આવી રહ્યા છે. જેના કારણે પરિવારજનોને શોક કરવા માટે માત્ર 5 થી 10 મિનિટનો સમય મળી રહ્યો છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે ફરી એકવાર કહ્યું કે કોરોનાવાયરસ સંક્રમણ સંબંધિત ચીનના ડેટા ત્યાંની પરિસ્થિતિની સચોટ તસવીર નથી આપી રહ્યું. WHOએ એમ પણ કહ્યું કે ચીન આ રોગને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની સંખ્યાનો ઓછો અહેવાલ આપી રહ્યો છે.