દેશમાં છઠ્ઠી વંદેભારત ટ્રેન શરૂ, 412 કિમીનું અંતર 5 કલાકમાં પૂર્ણ થશે

Sandesh

by Sandesh

279 views
રેલ મંત્રાલય સ્વતંત્રતા દિવસની ઉજવણીના 75 અઠવાડિયા દરમિયાન 75 વંદે ભારત ટ્રેનો રજૂ કરવાના પડકારજનક લક્ષ્ય માટે તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં સ્વતંત્રતા દિવસના ભાષણમાં આની જાહેરાત કરી હતી. રેલ્વે મંત્રાલયના દસ્તાવેજો અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષ માટે કોચ ઉત્પાદન શેડ્યૂલમાં ઓછામાં ઓછા 35 વંદે ભારત રેકને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 67 આગામી નાણાકીય વર્ષ (2023-24) માટે મંજૂર કરવામાં આવી છે.