મેઘા પાટકરની વાત આદિવાસીઓના હિત માટે: શક્તિસિંહ

  • 2 years ago
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે મેઘા પાટકરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જે નર્મદા યોજનાને મંજૂરી નહોતી મળતી એ યોજના રાજીવ ગાંધીએ મંજૂરી અપાવીને આગળ વધારી હતી. મેઘા પાટકરની વાત આદિવાસીઓ માટે હતી જે તમામ મુદ્દાઓને કોંગ્રેસે હલ કર્યા હતા. ભારત જોડો યાત્રા ભારતના દરેક નાગરિક માટે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આ યાત્રામાં જોડાય તેવું અમારું આમંત્રણ છે.