જો હું ઠગ છું તો સત્યેન્દ્ર જૈને રૂપિયા કેમ લીધા? સુકેશ ચંદ્રશેખરનો ત્રીજો પત્ર
- 2 years ago
મહાઠગ તરીકે કુખ્યાત થયેલા સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય સક્સેનાને વધુ એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા સુકેશે કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન અને જેલ ડીજી સંદીપ ગોયલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશનો દાવો છે કે જેલમાં તેનો જીવ જોખમમાં છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેને સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.