મોરબી દુર્ઘટનામાં પરમાર પરિવારમાં માતમ, માતા-પિતા અને ભાઈનું કરુણાંતિકા મૃત્યુ

Sandesh

by Sandesh

533 views
મોરબીમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા.રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. પરમાર પરિવારના 3 લોકોના મોતથી માતમ છવાય ગયો છે.