આજે કાળી ચૌદશ: હસ્તનક્ષત્રમાં હનુમાન પૂજન,શિવરાત્રી ઉજવાશે, જાણો મુહૂર્ત અને પૌરાણિક કથા

Sandesh

by Sandesh

1 269 views
કોરોના મહામારીના ઓછાયા બાદ આ વર્ષે શહેરમાં દીપોત્સવી પર્વની રોનક સ્પષ્ટ દેખાઇ રહી છે. દરમિયાન તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે શનિવારે ધનતેરસની ઉજવણી કરાયા બાદ હવે રવિવારે હસ્તનક્ષત્રમાં કાળીચૌદશ મનાવાશે. સાંજે 6.04 વાગ્યાથી ચૌદશની તિથિ શરૂ થશે. જેમાં તાંત્રિક પૂજા માટે સાંજે 7.05થી 10.10 વાગ્યાનું મુહૂર્ત શ્રોષ્ઠ હોવાનો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે. તંત્ર-મંત્રની ઉપાસના, ઘરમાંથી કકળાટ કાઢવાનો અવસર ગણાતી કાળીચૌદશે રાત્રી ઉપાસનાનું પણ મહાત્મ્ય આંકવામાં આવે છે.