વંદે ભારતમાં ટ્રેનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, મુસાફરોને અન્ય ટ્રેનમાં રવાના કરાયા

Sandesh

by Sandesh

268 views
દિલ્હીથી વારાણસી માટે રવાના થયેલી વંદે ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે ટ્રેન લગભગ છ કલાક મોડી દોડાવાઈ રહી છે. ટ્રેનના એક કોચના ટાયરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોને અન્ય ટ્રેનમાં આગાળના સફર માટે રવાના કરાયા હતા. ટ્રેનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ટ્રેનમાં કુલ 1200 મુસાફરો સવાર હતા.