દશેરાના રેલીમાં એકનાથ શિંદે આકરા પણીએ, કહ્યું- શિવસેના પ્રાઈવેટ કંપની નથી

Sandesh

by Sandesh

257 views
દશેરા રેલી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને માટે નાકનો પ્રશ્ન બની ગઈ હતી. અંતે, કોર્ટનો આદેશ મળ્યા પછી, શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને બીકેસી મેદાનમાં એકનાથ શિંદે જૂથની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને છેતરપિંડી કહ્યા ત્યારે તેમને જવાબ મળ્યો કે શિવસેના ઠાકરે પરિવારની પ્રાઈવેટ લિમિટેડ કંપની નથી.