Video: અમદાવાદના ખેલૈયાઓ ગરબે રમવા સજ્જ, પનઘટ ગ્રુપનું ગ્રાન્ડ રિહર્સલ
- 2 years ago
નવરાત્રી શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ગરબે રમવા ખેલૈયાઓ સજ્જ થઇ ગયા છે અને અંતિમ ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે. આ વખતે 26મી સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી નવરાત્રી ચાલશે. ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા સજ્જ થઇ ગયા છે.
અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. આ ગ્રુપના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. પનઘટ ગ્રુપના ખેલૈયાઓએ પરંપરાગત પરિધાનથી સજ્જ થઇ પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ્સ સાથે ગ્રાન્ડ રિસર્સલ કર્યું હતું.
અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. આ ગ્રુપના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. પનઘટ ગ્રુપના ખેલૈયાઓએ પરંપરાગત પરિધાનથી સજ્જ થઇ પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ્સ સાથે ગ્રાન્ડ રિસર્સલ કર્યું હતું.