Video: અમદાવાદના ખેલૈયાઓ ગરબે રમવા સજ્જ, પનઘટ ગ્રુપનું ગ્રાન્ડ રિહર્સલ

  • 2 years ago
નવરાત્રી શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ગરબે રમવા ખેલૈયાઓ સજ્જ થઇ ગયા છે અને અંતિમ ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે. આ વખતે 26મી સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી નવરાત્રી ચાલશે. ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા સજ્જ થઇ ગયા છે.

અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. આ ગ્રુપના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. પનઘટ ગ્રુપના ખેલૈયાઓએ પરંપરાગત પરિધાનથી સજ્જ થઇ પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ્સ સાથે ગ્રાન્ડ રિસર્સલ કર્યું હતું.