PM મોદીના હસ્તે આજે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન

Sandesh

by Sandesh

73 views
આજે ફરી એકવખત ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. આજે જે થવાનું છે તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દાયકાઓ પછી એક મોટું પરિવર્તન છે. હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે ઈન્ડિયા ગેટની પાછળ છત્ર હેઠળ સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. ગ્રેનાઈટ પથ્થરથી બનેલી આ મૂર્તિ દેશની સૌથી મોટી મોનોલિથ (એટલે ​​કે એક જ પથ્થરને કોતરીને બનાવેલ શિલ્પ)માંની એક હશે. એટલું જ નહીં છેલ્લા 61 વર્ષમાં ઘણી પેઢીઓ જે 'રાજપથ' પરથી પસાર થઈ છે. નવી પેઢી હવે આ જ રોડને 'કર્તવ્ય પથ'ના નામથી જાણશે, કારણ કે ભારતના પ્રજાસત્તાકની શક્તિ વિશ્વને બતાવતા આ રોડનું નામ પણ આજથી બદલવામાં આવશે. અગાઉ 1961માં આ રોડનું નામ બ્રિટિશ જમાનાના King's Wayથી બદલીને 'રાજપથ' કરવામાં આવ્યું હતું.