જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટ્યું

  • 2 years ago
અમરનાથ ગુફામાં વાદળ ફાટવાથી થયેલી તબાહીમાંથી લોકોને હજુ બચાવી રહ્યા છે કે હવે જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટવાના કારણે ઘણા વાહનો અને મકાનો કાટમાળ નીચે દટાયા છે. બીજી તરફ અમરનાથ ગુફામાં વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે.