રાયસણ 80 મીટર રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ' નામ અપાશે

Sandesh

by Sandesh

82 views
વડાપ્રધાન મોદી એકવખત ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી 17 અને 18 જૂનના રોજ PM મોદી ગુજરાતમાં જ રહેશે. 18મી જૂનના રોજ વડાપ્રધાન મોદીના માતા હીરા બા 100 વર્ષના થવા જઈ રહ્યાં છે. આથી હીરા બાના સમ્માનમાં ગાંધીનગરના રાયસણના 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.