કાટમાળ પાસે હનુમાનજીની મૂર્તિથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- 2 years ago
વિકાસના કાર્યોને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ નાના મંદિરો દૂર કરાયા હતા. ત્યારે હવે નવલખી મેદાનમાં કાટમાળ નજીક હનુમાનજીની મૂર્તિ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેની નોંધ લઈને શહેરના મેયર અને કોર્પોરેશન કમિશનરે સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ હનુમાનજીની આ મૂર્તિની સુસેન તરસાલી રિંગ રોડ પર સ્થિત શનિ મંદિરમાં સ્થાપનામાં આવી છે.