મંત્રી કૌશિક પટેલ જુઠ્ઠા છે, અધિકારીઓ ખોટા છે: MLA મધુ શ્રીવાસ્તવ

  • 4 years ago
વડોદરાઃ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ હવે વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે અને મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા મધુ શ્રીવાસ્તવ લાલઘૂમ થયા છે મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાદેવ તળાવમાં હનુમાનજીના મંદિરની કોઇ મેટર કોર્ટમાં નથી કૌશિક ભાઇએ મંજૂરી આપી દેવી જોઇએ કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે બધા અધિકારીઓ ખોટા છે અને અધિકારીઓ કૌશિક ભાઇને ઊંધા માર્ગે લઇ જઇ રહ્યા છીએ અને હું જીવુ છુ ત્યાં સુધી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીશ