સુરતમાં મંદિરની દાનપેટી તોડી લાખોની ચોરી, તસ્કર CCTVમાં કેદ

  • 4 years ago
સુરતઃ પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધરાત્રે અજાણ્યા ઇસમે 30 મિનિટમાં દાનપેટી તોડી લાખોની ચોરી કર્યા બાદ શિવનાગને પણ ઉખાડવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષ જોવો મળ્યો છે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા અજાણ્યા ઇસમે રેકી કરી મંદિરમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે આ અગાઉ આજ મંદિરમાં લગભગ બેવાર ચોરી થઈ ચૂકી હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું છે ઉત્તર ભારતીયોના પૂજાપાઠવાળા આ મંદિરમાં આખું વર્ષ દાનપેટીમાં આવેલી રકમથી જ શિવરાત્રીનો ઉત્સવ કરાતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે