આબુરોડ નજીક ચંદ્રાવતી બ્રિજ પરથી ટ્રક 15 ફૂટ નીચે ખાબકી, ત્રણના મોત, એક ઘાયલ

  • 5 years ago
અમીરગઢઃઆબુરોડ નજીક ચંદ્રાવતી બ્રિજ પર રવિવારે વહેલી સવારે ટ્રકના ચાલકને ઉંઘનું ઝોકું આવતાં ટ્રક 15 ફૂટ બ્રીજથી નીચે સર્વિસ રોડ ઉપર ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે નાગોરથી મગ ભરીને પાલનપુર જતી ટ્રકના ચાલકને ઉંઘનું ઝોકું આવતાં દુર્ઘટના સર્જાઈ હતી ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા તેજારામ અને ઉપમારામ બન્ને ભાઇ પોતાના વિસ્તારના ખેડૂતો જોડે માલ ખરીદીને બનાસકાંઠા જિલ્લાના માર્કટયાર્ડોમાં અવાર-નવાર માલ વેચવા આવતા હતા