મોદીએ ‘સદૈવ અટલ’ પર અટલજીને શ્રદ્ધાંજલિ આપી, લખનઉમાં 25 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 95મી જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સદૈવ અટલ’ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી ગૃહમંત્રી અમિત શાહ, સીનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત મોટાભાગના નેતાઓ સમાધિસ્થળ પર ફૂલ ચડાવવા પહોંચ્યા હતા મોદી આજે લખનઉમાં વાજપેયીજીની 25 ફૂટ ઉંચી અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ કરશે આ પ્રતિમા અટલજીની સૌથી ઉંચી પ્રતિમા છે મોદી અહીં અટલજીના નામે મેડિકલ યૂનિવર્સિટીની આધારશિલા પણ મૂકશે
Category
🥇
Sports