થરાદના રાહમાં બોરવેલમાંથી કાળું પાણી નીકળતાં લોકોના ટોળાં ઉમટ્યા

  • 5 years ago
પાલનપુર: થરાદ તાલુકાના રાહ ગામે બોરવેલમાંથી કાળા કલરનું પાણી આવતાં તેમાં ઓઇલ નીકળતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ત્યાં પાણીની જગ્યાએ કાળા કલરનું પ્રવાહી આવતાં આજુબાજુના લોકો આ પ્રવાહી દેખાવા માટે ઉમટી પડ્યા હતા લોકો ઓઈલ નીકળતું હોવાની ચર્ચાને પગલે દોડી ગયા હોવાનું સામે આવ્યું છે રાહ ગામે પીરાભાઈ છગનભાઇ પ્રજાપતિના બોરવેલનું રિપેરિંગ કામ કરી ફરી આ બોરવેલને ચાલુ કરતાં તેમાંથી કાળા કલરનું પ્રવાહી (કાળું પાણી) આવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું અને તે પ્રવાહી સુકાય ત્યાં એકદમ કાળા કલરની જમીન થઈ જતી હતી