દેશની એકતા અને નેકતા જાળવી રાખવા સહુ દેશવાસીઓને મોરારિબાપુની શાંતિની અપીલ

  • 5 years ago
ભૂજઃસિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) મામલે અત્યારે દેશભરમાં સર્જાયેલા તણાવના માહોલ અને હિંસાની ઘટનાઓ વચ્ચે રામકથાકાર મોરારિબાપુએ દેશની એકતા અને નેકતા જળવાઈ રહે તે માટે સહુ કોઈને શાંતિ જાળવવા અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે, સિટીઝનશીપ એક્ટના કારણે અત્યારે ગુજરાત સહિત દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે પોલીસે પણ શાંતિ માટે થઈને ફાયરિંગ કરવું પડી રહ્યું છે અમદાવાદમાં ગુરુવારે અને વડોદરામાં શુક્રવારે તોફાનીઓના ટોળાએ પોલીસને બાનમાં લઈને પથ્થરમારો કર્યો હતો આ તમામ ઘટનાઓને પગલે મોરારિબાપૂએ શાંતિ માટે અપીલ કરી છે