રાજપરા બંદરે પ્રોટેક્શન દીવાલ પડી જતા દરિયાનું પાણી મકાનોમાં ઘૂસ્યું, બે મકાન ધરાશાયી

  • 5 years ago
ગીરસોમનાથ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર નામના વાવાઝોડાની અસર હજુ દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે અરબી સમુદ્રમાં હજુ પણ કરંટ યથાવત હોવાને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે રાજપરા બંદરે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દીવાલ દરિયાના માજાની થપાટથી ધરાશાયી થતા દરિયાનું પાણી રહેણાંક મકાનો સુધી ઘુસી આવ્યું છે દરિયાના મોજાની ભારે થપાટથી 2 મકાનો ધરાશાયી થયા છે