સુરતના વરાછાના અશ્વિનીકુમાર રોડ પર ડ્રેનજ લાઈનમાંથી કલરયુક્ત પાણી નીકળ્યું

  • 5 years ago
સુરતઃવરાછાના અશ્વિની કુમાર રોડ પર ડ્રેનેજ લાઇનમાંથી લાલ અને બ્લ્યુ પાણી ઉભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા 4 વર્ષથી પાલિકાના અધિકરીઓને ફરિયાદ કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે આ વિસ્તારમાં આવેલી 14 ડાઈગ મિલોનું ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર ડ્રેનેજ મારફતે ગેરકાયદે નિકાલ કરવાનું મોટું ષડ્યંત્ર આંખ સામે હોવાછતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પાલિકાના અધિકારીઓ કોઈ પગલાં ભરતા ન હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યાં છે