અમદાવાદમાં જાહેર રોડ પર પાર્કિંગ કરાવતા ગાંઠીયા રથ સહિત 16 એકમ સીલ

  • 5 years ago
અમદાવાદ: જાહેર રોડ પર પાર્કિંગ મામલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગે તવાઈ બોલાવી છે જેમાં નહેરુનગરમાં આવેલા ગાંઠીયા રથ સહિતના 16 એકમો સીલ કરવામાં આવ્યા છે પાર્કિંગની જગ્યા ન હોવાના કારણે ગ્રાહકો પાસે રોડ પર વાહન પાર્ક કરવામાં આવતા આજે એસ્ટેટ વિભાગની ટીમે નવરંગપુરા, નહેરૂનગર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઓફિસને 10 દિવસની નોટિસ આપી સીલ કર્યા છે 10 દિવસમાં ડોક્યુમેન્ટ જમા કરાવશે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે