વરસાદના વિરામ બાદ મનમોહક વાતાવરણ સર્જાતા રાજકોટવાસીઓએ મન મૂકીને આનંદ માણ્યો

  • 5 years ago
રાજકોટઃશહેરમાં સાંજે વરસાદે વિરામ લેતા અદ્ભુત મનમોહક વાતાવરણ સર્જાયું હતું રાજકોટવાસીઓએ આ વાતાવરણને મન મૂકીને માણ્યું હતું શહેરીજનો વરસાદ બાદ આજીમાં આવેલા નવા નીરને જોવા માટે ઉમટ્યાં હતા, તો ક્યાંક લોકો શહેરમાં ભરાયેલા પાણીમાં છબછબીયાં કરીને મજા માણી રહ્યાં હતા આ ઉપરાંત લાલપરી તળાવ પણ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયું હતું જેને જોવા પણ લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા