રેલી દરમિયાન ઘર્ષણ થતાં પોલીસ પર હુમલો, બસમાં તોડફોડ, ટીયરગેસના સેલ છોડ્યા

  • 5 years ago
સુરતઃદેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુંહઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુંપોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી