ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ: નીતિન પટેલ

  • 5 years ago
ગાંધીનગર: મેડિકલ શિક્ષણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જેમાં NEET આધારિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈને ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ અને 10-12 ધોરણનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોય તેમને મુક્તિ આપી હતી સાથે જ જેમના માતા-પિતા ગુજરાતમાં રહે છે પરંતુ તેમનો જન્મ બહાર થયો છે તેવા વિદ્યાર્થીઓને જ ડોમિસાઈલની જરૂર પડશે તેવું જણાવ્યું હતું